જે શરૂ થયું છે એ જરૂર સમાપ્ત થશે

મેં આજ સુધી જે પણ કાંઈ લખ્યું છે અથવા તો કહીશ કે લખવાનો પ્રયાસ કર્યો છે એમાં આજ ની આ રચના મારા આત્મા ની સૌથી નજીક છે એવું મેં અનુભવ્યું.

રાત નો લગભગ એક વાગ્યો હશે. રૂમ માં ઘોર અંધારું અને નીરવ શાંતિ હતી પણ મારું મગજ અસંખ્ય વિચારો માં હતું અને એ વિચારો નો ખુબજ અવાજ હતો. ઊંઘ ન આવવાથી હું ઉઠી, પાણી પીધું , વોશરૂમ માં ગઈ અને પાછી આવી બેડ પર પડી. મારા મન માં ત્યારે એક પ્રશ્ન થયો કે જ્યારે મૃત્યું નો સમય આવે ત્યારે શું અનુભવાતું હશે? શું વિતાવેલા જીવન ની બધીજ સ્મૃતિઓ નજર સમક્ષ કોઈ movie ની જેમ દેખાતી હશે? કોઈ નું કરેલું અપમાન, કોઈ ને આપેલી ગાળો, કોઈ ની સાથે કરેલું કપટ, કોઈ નો ઉઠાવેલો ખોટો ફાયદો, કોઈ ને કરેલો ભરપૂર પ્રેમ, ને કોઈ ને આપેલો અત્યંત વ્હાલ. આ બધાજ દ્રશ્યો આંખો સામે આવતા હશે. ત્યારે માફી આપી દેવાની અને માફી માંગી લેવાની તૈયારી પણ હશે, ત્યારે પ્રેમ અને વ્હાલ આપવાની ઈચ્છા પણ થશે, ત્યારે કદાચ એમ પણ થશે કે ખોટી ચિંતાઓ અને ડર માં સમય વ્યર્થ ન કરતા નિખાલસતા અને ઉદારતા થી જીવી હોત તો…પણ એ અંત સમયે કશુંજ શક્ય નહીં હોય. આપણું સ્વજન કદાચ આપણી સામે જ હશે પરંતુ આપણી મનોસ્થિતિ આપણે કહી નહીં શકીયે. મન, મગજ અને શરીર માં continuous ચાલી રહેલા યુદ્ધ નો હવે સમાપ્ત થવાનો સમય હશે. અને એ સમય કોઈ પણ ઉંમર કેમ ન હોય, અણધાર્યો જ લાગશે કારણ કે યમરાજ death નો day and time નથી આપતા એ તો સીધા પ્રગટ જ થાય છે. અને પછી બધુજ શાંત અને શૂન્ય થઈ જશે.

જીવન અને મૃત્યુ વચ્ચે નો જે સમય છે તે temporary છે. And in this temporary life we want everything to be permanent. આપણે જીવન ને લાબું માનયે છીએ પરંતુ બ્રહ્માંડ માં ચાલી રહેલી અસંખ્ય ક્રિયાઓ ની સાપેક્ષ માં આપણું જીવન ખૂબ જ સૂક્ષ્મ અને ટૂંકું છે. And the time we spent on this earth is relatively very short. In this short life, long term plans will not only fail but will ruin our present as well. આ જીવન નો અર્થ એટલેજ છે કારણ કે મૃત્યું નિશ્ચિત છે. અને આ જીવન નો રોમાંચ પણ એટલેજ છે કારણ કે એ unpredictable છે. આપણાં જીવન દરમ્યાન આપણે શું કમાયા, શું પહેર્યું, શું ખરીદ્યું, અને શું ખાધું એનું કોઈજ dividend આવતા જન્મ માં મળવાનું નથી પણ હા કેવું બોલ્યા, કેટલું નમ્યા, કોને મદદે આવ્યા, ક્યાં નિસ્વાર્થ બની સેવા કરી, અને કેટલી સંવેદના દર્શાવી આ બધાજ કર્મો ના મીઠા ફળ એટલે કે interest જરૂર થી મળશે. એના દરબાર માં દુન્યવી તત્વો નો નહીં પણ લાગણીઓ, સમર્પણ, અને નિષ્ઠા નો હિસાબ થશે.આ સમજણ આપણને જેટલી જલ્દી આવે એટલું સારું છે અને જો સમજણ આવે અને એને અનુરૂપ જીવીએ તો વધારે સારું છે. જીવન માં કશુંજ સરળ નથી પરંતુ કશું અશક્ય પણ નથી. So i will try to understand and also implement these virtues and values in my life.
આવા વિચારો થી હું સુઈ ના શકી અને મેં આ રચના ત્યારે લખી અને લખ્યા પછી ભગવાન નો આભાર માન્યો અને એક request કરીને સૂતી, હે પ્રભુ!કાલ નો સુરજ જરૂર થી દેખાડજે અને તું જોજે હું રોજે જ તારો આભાર માનીશ.🙏

Leave a comment